આ ભુમિમા જ દૈવત જેવુ છે કશુક
વાવો મહાભારત અને ગીતા નીકળે
છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યા કવિતા નીકળે
હજુ ક્યાક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાથી બીતા બીતા નીકળે
કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોર
તો વાંસળીના ટુકડા સંજીતા નીકળે
ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે
-કવિ દાદ

No comments:
Post a Comment