- જુનાગઢ ના રાજા રા'દેસળ નો ન્યાય ---- સૂરજ-ચંદ્ર ની સાખે
જુનાગઢ ના રાજા રા'દેસળ ને પુનમ ની અજવાળી રાત્રે . નીંદર નથી આવતી ,
રાત મા ઊઠી ને એક કાગળી યો હાથ મા ઝાલી , વિચાર મા ગરકાવ થઇ જાય છે .
કાગળી યો એને કોયડો બન્યો છે .
વાણીયા મુલચંદ શેઠે ખેડુત ધરમશી કણબી ને એક હજાર કોરી આજ રોજ આપેલ છે .
જે ધરમશી કણબી ને વ્યાજ સહીત ભરવાની રહેશે .
સૂરજ-ચંદ્ર ની સાખે.- કાગળ મા આ રીતે નુ લખાણ છે .
મુલચંદ શેઠ કહે છે કે મે કણબી ને વ્યાજે એક હજાર કોરી આ લખાણ કરી ને આપેલ છે .
કણબી એ એક પણ કોરી મને પાછી ચુકવી નથી .
કોરી ચુકવ્યા નો કોઇ સાંક્ષી નથી , કોઇ એંધાણ નથી ,
મારો આ કાગળ સાબીતી આપે છે . કણબી કુડ કરે છે .
આપજ ન્યાય નો ફેસલો કરો મહારાજા .
કણબી કહે છે એ લખાણ ની વ્યાજ સહીત ની કોરી મે વાણીયા ને ચુકવી દીધી છે .
મારા અને વાણીયા સીવાય ત્રીજુ કોઇ સાંક્ષી ન હતુ .
પણ મે મારે હાથે લખાણ પર ચોકડી મારેલી .
ચારે ખુણા સુધી ની મોટી ચોકડી મે મારા હાથે કાળી સાહી થી મારેલી .
રા'દેશળ આ સમસ્ય ના વિચાર મા ખોવાયેલ છે .
વાણીયો ખોટો છે કે કણબી ખોટો છે ? સમસ્ય ગંભીર છે .
રાજ દરબાર મા ફરીયાદ લઇ કણબી આવ્યો છે .
એ બે સીવાય ત્રીજો કોઇ સાક્ષી પણ નથી .
જો કણબી ખોટો હોય તો એની શુ હીમત ! કે ઇ ફરીયાદ કરે .
કાગળ માં ચોકળી તો છે નઇ ? સવારે કચેરી માં વાણીયા અને કણબી બંન્ને ને બોલાવ્યા .
રાજા બોલ્યા જે કુડ હોય તે કહી નાખજો , હુ આ વાત નો તાગ લેવાનો છુ .
પછી ગોટા વાળતા નહી .
હુ રા'દેશળ ! નાગ ફણીંયુ જડાવી ને મારી નાખીશ હો ''
વાણીયો : તો આપ ધણી છો . મારે તો કહેવાનુ જ કયાં છે ? કાગળ એની મેળે બોલશે .
રા'દેશળ કાગળ ને નીરખી ને જોવે છે ત્યા એની નજર છેડે ની એક લીંટી ઉપર પડી
લખ્યું હતુ કે - સૂરજ-ચંદ્ર ની સાંખે
રા' વિચારે ચડીયા કે આ તે કઇ જાત ની સાખ ?
માણસ ની સાક્ષીં તો જાણી પણ સૂરજ-ચંદ્ર ને સાક્ષીં રાખવાનો મર્મ શો હશે ?
કાંઇક ઊંડો ભેદ હોવો જોઇએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહી ..
રાજા એ સૂરજ ના બિંબ આડો કાગળ રાખ્યો અને આગળ પાછળ ફેરવે છે .
વાંસલી બાજુએ જ્યા નજર કરે ત્યા સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકળી દેખાઇ.
રા' એ કહ્યુ , શેઠ કણબી તો કહે છે તેને લખત પર ચોકડી મારી દીધી છે .
શેઠ : કાગળ જુવો બાપ .
રા' : કણબી તમે ચોકડી મારી એનો કોઇ સાક્ષીં ?
કણબી : કાળો કાગડો ઇ નહિ. ધણી .
રા' : આમા તો લખ્યુ છે કે સૂરજ-ચંદ્ર ની સાંખે !
શેઠ : એ તો લખવાનો રીવાજ'... સૂરજ-ચંદ્ર ની સાંખ વાળા તો અમારા કંઇક લખત ડૂબ્યાં છે .
કણબી : સૂરજ-ચંદ્ર તો સાંખ પુરાવશે સમય આવ્યે પણ આપણે એ ન સમજી સકી એ .
રા'દેશળ ઓરા આવો શેઠ , શેઠ ને ચોગાન માં લઇ જઇ ને સૂરજ ની સામે કાગળ રાખી ને ચોકડી દેખાડે છે .
કહો શેઠ તમે શી કરામત કરી ?
સાચુ કહોતો છોડી દઇશ.
શેઠ કહે છે કે ચોકડી ની શાહી લીલી હતી ત્યારે જ મે દળેલ ખાંડ શાહી ઉપર ભભરાવી દીધી
અને કાગળ કીડી ઓ પાસે રાખી મુકયો ,
ખાંડ સાથે એકરશ થઇ ગયેલ સાહી કીડી ઓ ચૂસી ગઇ . એ રીતે ચોકડી ભૂંસાઇ ગઇ .
હવે જો ચાહે સજા દો .
રા' : શેઠ તમે તમારી ચતુરાઇ નો અવડા માર્ગે ઉપયોગ કર્યો .
તેથી રાજા એ શેઠ ને ત્રણ વર્ષ ની કેદ દીધી ..
-'' ઝવેરચંદ મેઘાણી ''

No comments:
Post a Comment