02 August, 2019

સૂરજ-ચંદ્ર ની સાખે



- જુનાગઢ ના રાજા રા'દેસળ નો ન્યાય ---- સૂરજ-ચંદ્ર ની સાખે 
 જુનાગઢ ના રાજા રા'દેસળ ને પુનમ ની અજવાળી  રાત્રે . નીંદર નથી આવતી , 
રાત મા ઊઠી ને એક કાગળી યો હાથ મા ઝાલી , વિચાર મા ગરકાવ થઇ જાય છે . 
કાગળી યો એને કોયડો બન્યો છે . 
વાણીયા મુલચંદ શેઠે ખેડુત ધરમશી કણબી ને એક હજાર કોરી આજ રોજ આપેલ છે . 
જે ધરમશી કણબી ને વ્યાજ સહીત ભરવાની રહેશે . 
સૂરજ-ચંદ્ર ની સાખે.- કાગળ મા આ રીતે નુ લખાણ છે . 
મુલચંદ શેઠ કહે છે કે મે કણબી ને વ્યાજે એક હજાર કોરી આ લખાણ કરી ને આપેલ છે . 
કણબી એ એક પણ કોરી મને પાછી ચુકવી નથી . 
કોરી ચુકવ્યા નો કોઇ સાંક્ષી નથી , કોઇ એંધાણ નથી , 
મારો આ કાગળ સાબીતી આપે છે . કણબી કુડ કરે છે . 
આપજ ન્યાય નો ફેસલો કરો મહારાજા . 
કણબી કહે છે એ લખાણ ની વ્યાજ સહીત ની કોરી મે વાણીયા ને ચુકવી દીધી છે . 
મારા અને વાણીયા સીવાય ત્રીજુ કોઇ સાંક્ષી ન હતુ . 
પણ મે મારે હાથે લખાણ પર ચોકડી મારેલી . 
ચારે ખુણા સુધી ની મોટી ચોકડી મે મારા હાથે કાળી સાહી થી મારેલી . 
રા'દેશળ આ સમસ્ય ના વિચાર મા ખોવાયેલ છે . 
વાણીયો ખોટો છે કે કણબી ખોટો છે ? સમસ્ય ગંભીર છે . 
રાજ દરબાર મા ફરીયાદ લઇ કણબી આવ્યો છે . 
એ બે સીવાય ત્રીજો કોઇ સાક્ષી પણ નથી . 
જો કણબી ખોટો હોય તો એની શુ હીમત ! કે ઇ ફરીયાદ કરે . 
કાગળ માં ચોકળી તો છે નઇ ? સવારે કચેરી માં વાણીયા અને કણબી બંન્ને ને બોલાવ્યા . 
રાજા બોલ્યા જે કુડ હોય તે કહી નાખજો , હુ આ વાત નો તાગ લેવાનો છુ . 
પછી ગોટા વાળતા નહી . 
હુ રા'દેશળ ! નાગ ફણીંયુ જડાવી ને મારી નાખીશ હો '' 
વાણીયો : તો આપ ધણી છો . મારે તો કહેવાનુ જ કયાં છે ? કાગળ એની મેળે બોલશે . 
રા'દેશળ કાગળ ને નીરખી ને જોવે છે ત્યા એની નજર છેડે ની એક લીંટી ઉપર પડી 
લખ્યું હતુ કે - સૂરજ-ચંદ્ર ની સાંખે 
રા' વિચારે ચડીયા કે આ તે કઇ જાત ની સાખ ? 
માણસ ની સાક્ષીં તો જાણી પણ સૂરજ-ચંદ્ર ને સાક્ષીં રાખવાનો મર્મ શો હશે ? 
કાંઇક ઊંડો ભેદ હોવો જોઇએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહી .. 
રાજા એ સૂરજ ના બિંબ આડો કાગળ રાખ્યો અને આગળ પાછળ ફેરવે છે . 
વાંસલી બાજુએ જ્યા નજર કરે ત્યા સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકળી દેખાઇ. 
રા' એ કહ્યુ , શેઠ કણબી તો કહે છે તેને લખત પર ચોકડી મારી દીધી છે . 
શેઠ : કાગળ જુવો બાપ . 
રા' : કણબી તમે ચોકડી મારી એનો કોઇ સાક્ષીં ?
કણબી : કાળો કાગડો ઇ નહિ. ધણી . 
રા' : આમા તો લખ્યુ છે કે સૂરજ-ચંદ્ર ની સાંખે ! 
શેઠ : એ તો લખવાનો રીવાજ'... સૂરજ-ચંદ્ર ની સાંખ વાળા તો અમારા કંઇક લખત ડૂબ્યાં છે .
કણબી : સૂરજ-ચંદ્ર તો સાંખ પુરાવશે સમય આવ્યે પણ આપણે એ ન સમજી સકી એ . 
રા'દેશળ ઓરા આવો શેઠ , શેઠ ને ચોગાન માં લઇ જઇ ને સૂરજ ની સામે કાગળ રાખી ને ચોકડી દેખાડે છે . 
કહો શેઠ તમે શી કરામત કરી ? 
સાચુ કહોતો છોડી દઇશ. 
શેઠ કહે છે કે ચોકડી ની શાહી લીલી હતી ત્યારે જ મે દળેલ ખાંડ શાહી ઉપર ભભરાવી દીધી 
અને કાગળ કીડી ઓ પાસે રાખી મુકયો , 
ખાંડ સાથે એકરશ થઇ ગયેલ સાહી કીડી ઓ ચૂસી ગઇ . એ રીતે ચોકડી ભૂંસાઇ ગઇ . 
હવે જો ચાહે સજા દો . 
રા' : શેઠ તમે તમારી ચતુરાઇ નો અવડા માર્ગે ઉપયોગ કર્યો . 
તેથી રાજા એ શેઠ ને ત્રણ વર્ષ ની કેદ દીધી .. 

-'' ઝવેરચંદ મેઘાણી ''

No comments:

Post a Comment