દિલ્લી ની મોગલ સલ્તનત ગુજરાત સર કરીને જેતપુર પર ચડાઇ કરે છે ,
ત્યારે વિર એભલ વાળા નો પુત્ર ચાંપરાજ વાળો જેતપુર નો રાજા .
દિલ્લી ની સમઃદર સમી ફોજ સામે લડે છે ,
ચાંપરાજ ના યુદ્ધ થી મુસલમાન સુરમાઓ ત્રાસી ગયા ,
ચાંપરાજ નુ સીર કપાયુ અને ધડ ધીંગાણે ચડીયુ ,
ફોજ ને પાછળ ધકેલ તુ નશાડ તુ ધડ ફોજ ને ઠેઠ લાઠી સુધી હાંકી ગયુ .
ત્યા જઇને ધડ ઢળી પડીયુ .
ચાંપરાજ ની ખાંભી લાઠી ને ટીંબે હજુ ઊભી છે .
ચાંપરાજ નુ યુદ્ધ જોઇ દિલ્લી ના બાદશાહ ને હૈયા માં ફડકો બેસી ગયો .
'' બાદશાહે પતગરીયા નૈ, પોહપ પાછા જાય ચાંપો છાબામાંય , ઊઠે એભલરાઉત ''
બાદશાહ પાસે પ્રભાતે માલણ ફુલછાબ લઇ ને ફુલો દેવા ગય ,
બાદશાહે પુછીયુ શે ના ફુલો છે ? માલણ કહે છે . ચંપો !
ચંપો સાંભળતાજ બાદશાહ ચમકી જાય છે .
એને લાગે છે કે ચાંપરાજ છાબડી માંથી ઊઠશે !
ચાંપરાજ પોતાનો ઘોડો ગઢવી ને દાન આપવા નુ કહી ગયેલ હતો .
એભલ વાળો ગઢવી ને ઘોડો દાન માં આપે છે .
પણ ગઢવી જીદ કરે છે કે ચાંપરાજ ઘોડા નુ દાન આપે તોજ લવ .
તયારે ચાંપરાજ પ્રેત બની ને આવે છે અને પોતાના હાથે ઘોડા નુ દાન કરે છે .
'' કમણ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધા દાન . વાળા ! એ વિઘાન , ચાંપા ! કેને ચડાવી એ ? ''
* મારવાડ નો ચારણ જેતપુર આવીને એભલ વાળા પાસે વચન માંગે છે .
એભલ વાળો વચને બંધાય છે .જે માગો તે આપુ .
ચારણ કહે બાપ તમને પોતાનેજ માંગુ છુ ! .
એભલ વાળો કહે હુ તો બુઢઢો છુ : મને લઇ ને શુ કરવાના ?
ચારણે માગણી બદલી નહી એટલે એભલ વાળો ચાંપરાજ ના દિકરાને રાજપાટ સોપી ચારણ સાથે ચાલી નીકળીયા .
પણ ચારણ ની આ વિચિત્ર માંગણી એભલ વાળા ને સમઝાતી નથી તે ચારણ ને પુછે છે
તમને હુ શુ કામ આવીશ ?
ચારણ જવાબ આપે છે કે
બાપ મારવાડ માં તેડી જઇ ને મારે તમને પરણાવવાં છે .
એભલ વાળો કહે આટલી ઉમરે મને પરણાવવાં નુ કારણ ?
ચારણ કહે : મારે મારવાડ મા ચાંપરાજ વાળા ની જરૂર છે .
મારે મારવાડ મા ચાંપરાજ જેવો વીર નર જન્માવવો છે .
એભલ કહે : ચારણ તારી મારવાડ મા ચાંપરાજ ની મા મીંણલદેવી જેવી કોઇ જડશે ?
ચાંપરાજ કોના પેટે અવતરશે ?
ચારણે સત્બદ્ધ થઇ ને પુછીયુ '' કેવી માં ?''
એભલ વાળો કહે સાંભળ ત્યારે .
જે વખતે ચાંપરાજ માત્ર છ મહીના નુ બાળક હતો તે વખતે હુ
એક દિવસ રાણીવાસ મા ગયો તો પારણા મા ચાંપરાજ સૂતો સૂતો રમે છે .
એની માં સાથે વાત કરતા કરતા મારાથી જરાક આડપલુ થઇ ગયુ ,
મીણલદે બોલી હાં હાં ચાંપરાજ દેખે છે, હાં !
મે કહ્યુ જા રે ચાંપરાજ છ મહીના નુ બાળક શુ સમજે ?
હુ એટલુ કહુ ત્યાતો ચાંપરાજ પડખુ ફેરવીને બીજી બાજુ જોઇ ગયો !
હુ તો રાણીવાસ માથી આવતો રહીયો પણ પાછળ થી એ શરમ ને લીધે ચાંપરાજ ની માં એ એફીણ પીને આપઘાત કર્યો .
કહો ચારણ આવી સતી મારવાડ મા મળશે તો ચાંપરાજ અવતરસે
ચારણે નિરાસ થઇ ને કહીયુ : ' ના બાપુ ' બસ ત્યારે તંમ તમારે જાવ પાછા જેતપુર .
'' ચાંપો પોઢયો પારણે , એભલ અળવ્ય કરે . મૂઇ મિણલદે , સોલંકણ સામે પગે .''
-'' ઝવેરચંદ મેઘાણી ''
ગુજરાત ના દાતારી ના ઇતીહાસ મા ગર્વ લેવા જેવી વાત છે ,
દુનીયા મા કોઇ પણ ઇતીહાસ મા આવી દાતારી ની ઘટના અંકીત નહી હોય .
એક ચાંપરાજ વાળો તેના મૃત્યુ પછી ગઢવી ને ઘોડા નુ દાન આપવા આવે છે .
અને બીજા સાંગાજી ગોડ તેના મૃત્યુ પછી ઇશરદાન ગઢવી ને કામળી નુ દાન આપવા આવે છે .
મૃત્યુ પછી પણ દાન આપે એવી દાતારી ની ગુજરાત ની ઇતીહાસીક ઘટના .
No comments:
Post a Comment